25 વર્ષ સેવા અને સમર્પણના… ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનની તૈયારીઓના ભાગરૂપે આજે ગાંધીનગર મહાનગર ખાતે પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જીની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , રાષ્ટ્રીય અભિયાનના ઝોન ઇન્ચાર્જ શ્રી આશિષભાઈ શેલારજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, આસામના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિલીપ સૈકિયાજી, પ્રદેશ મહામંત્રી અને અભિયાનના પ્રદેશ પ્રભારી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, અભિયાનના ઇન્ચાર્જ શ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.












