માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘ગાંધીનગર લોકસભા’ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે.












