કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના શુભહસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સીમા દર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
નડાબેટ ખાતે તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રકલ્પોને કારણે બોર્ડર ટૂરિઝમને પ્રોત્સાહન મળશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા સહિત પદાધિકારીઓ, સેનાના જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.