સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત સંગઠન પર્વ-2019ના રાષ્ટ્રીય ઇન્ચાર્જ શ્રી શિવરાજસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજીએ શ્રી હરિકૃષ્ણ એક્ષ્પોર્ટ, સુરતની મુલાકાત લીધી.

સુરત ખાતે સંગઠન પર્વ-2019ના રાષ્ટ્રીય ઇન્ચાર્જ શ્રી શિવરાજસિંહ ચૌહાણ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજીએ શ્રી હરિકૃષ્ણ એક્ષ્પોર્ટની મુલાકાત લઈ અને તેના 5000થી વધારે યુવા કર્મચારીઓ સાથે સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત વાર્તાલાપ કરી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવ્યા તથા વૃક્ષારોપણ કર્યું. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, શ્રી કે.સી.પટેલ, સંગઠન પર્વ-2019ના પ્રદેશ સંયોજક શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સહ-સંયોજક શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા, સાંસદ શ્રી દર્શનાબેન જરદોસ સહિતના હોદેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
