શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સીટી, ગોધરા ખાતે પૂર્વ મુખ્યમંત્રીશ્રી તથા ઉત્તર પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તૃતીય પદવીદાન સમારોહ યોજાયો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રીમતી નિમિષાબેન સુથાર સહિત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.