વિજલપોરના ચંદન તળાવ ખાતે મીઠા પાણીનું ફિલ્ટરેશન પ્લાન્ટ અને વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવેલા વોટર એટીએમનું લોકાર્પણ

આજરોજ નવસારી જિલ્લાના વિજલપોરના ચંદન તળાવ ખાતે મીઠા પાણીનું ફિલ્ટરેશન પ્લાન્ટ અને વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવેલા વોટર એટીએમનું પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના શુભહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રી રમેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.