વડોદરાના 2400 ક્ષયરોગના દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના ક્ષયમુક્ત ભારત આહ્વાન મુજબ આજરોજ વડોદરા ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની ગરિમામય ઉપસ્થિતિ તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી વડોદરાના 2400 ક્ષયરોગના દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, વડોદરા મેયર શ્રી કેયૂરભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યાં.