મોરબીના વવાણિયા ખાતે આહીર સમાજ દ્વારા સંચાલિત માતૃશ્રી રામબાઈ માતાજીની જગ્યામાં નવનિર્મિત સત્સંગ હોલ, ભોજનાલય સહિતની પ્રવાસી સુવિધાઓનું લોકાર્પણ તેમજ વવાણિયા, માળિયા અને ટંકારા ખાતે આરોગ્ય વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રીમતી પૂનમબેન માડમ, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા, શ્રી વાસણભાઈ આહીર, જિલ્લા પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા તથા સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
