ભારતીય જનતા પાર્ટીના 42મા સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા’નું પ્રસ્થાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તેજસ્વી સૂર્યાની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગરથી કરાવ્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.