ભરૂચમાં ગંગાસ્વરૂપ બહેનની ત્વરિત સહાય કરતા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
ભરૂચના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગંગાસ્વરૂપ શીતલબેન મોદી મળવા આવ્યાં. તેમના પતિ શ્રી પ્રજ્ઞેશકુમાર મોદી, જેઓ પં. દીનદયાળ ગ્રાહક ભંડારનો પરવાનો ધરાવતા હતા. તેઓનું કોરોનામાં દુ:ખદ અવસાન થતાં શીતલબેન મોદી આ દુકાન માટે વારસદાર હતાં. મુખ્યમંત્રીશ્રીએ શીતલબેનની રજૂઆત સાંભળી અને આદેશ આપ્યો. અને ગણતરીના કલાકોમાં જ દુકાન શીતલબેનના નામે થઈ ગઈ. આમ, મુખ્યમંત્રીશ્રીએ સંવેદનશીલતા સાથે સુશાસનનો પરિચય કરાવ્યો.