પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્હસ્તે સુરેન્દ્રનગરના પાટડી ખાતે ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અને કામધેનુ સર્કલનું લોકાર્પણ પણ કરાયું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્ય સરકારના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી વર્ષાબેન દોશી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.