જામનગરના ભૂચર મોરી સ્મારક ખાતે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા આયોજિત શૌર્ય કથા સપ્તાહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા, શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી સહિત રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યાં.