કોવિડના દર્દીઓને ઉત્તમ સુવિધા મળી રહે તે હેતુથી સુરત જિલ્લાના ઉમરપાડા અને વાંકલ ખાતે આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું.

કોવિડના દર્દીઓને ઉત્તમ સુવિધા મળી રહે તે હેતુથી સુરત જિલ્લાના ઉમરપાડા અને વાંકલ ખાતે આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું. આજરોજ આ સેન્ટરને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના વરદ્દ હસ્તે ખુલ્લું મુકાયું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, સાંસદ શ્રી પરભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ સંદિપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા.