કોરોના મહામારીનો મક્કમતાથી સામનો કરવા આજરોજ સુરત ખાતે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત સંપ્રતિ આઇસોલેશન સેન્ટરનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા તથા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.