કેવડિયા ખાતે 80માં અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓના સંમેલનનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો.

મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી ની વિશેષ ઉપસ્થિતિમાં અને ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી ની ઉપસ્થિતિમાં કેવડિયા ખાતે 80માં અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓના સંમેલનનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, લોકસભાના સ્પીકર શ્રી ઓમ બિરલાજી, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાલજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીજી પણ ઉપસ્થિત રહ્યા.