આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નવસારી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 75 દિવ્યાંગોને રોજગારી પત્રો એનાયત કરાયા, 710 દિવ્યાંગોને સાધન સહાય અપાઈ તથા 2100 જાહેર ઇમારતો પર જળસંચયના કાર્યોનો શુભારંભ તથા ડિજિટલ આયુષ્યમાન ભારત મિશન હેઠળ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની તથા હોદ્દેદારો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
- « Previous
- 1
- …
- 442
- 443
- 444