આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે તાપી નદીના કિનારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં નદી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં.