‘સેવા હી સંગઠન’ના મંત્રને ચરિતાર્થ કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાદરવી પૂનમના મહામેળામાં જગતજનની મા અંબાના દર્શનાર્થે પગપાળા અંબાજી જતા માઈભક્તોની યાત્રા સુખદ અને સુગમ રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા બનાસકાંઠાના દાંતા ખાતે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પનો શુભારંભ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક તેમજ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટની વિશેષ ઉપસ્થિતિમાં થયો. જય અંબે 🙏

- « Previous
- 1
- …
- 47
- 48
- 49





