પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને ‘સમરસતા સંકલ્પ સભા’માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.












