રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરુણ ચુગજીની અધ્યક્ષતામાં ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત સુરત જિલ્લાના બારડોલી ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું અને માંડવી નગર ખાતે સ્વાસ્થ્ય સ્વયંસેવકોની બેઠક યોજાઈ.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડીયા તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.