ભારતીય જનતા પાર્ટી :- એક પરિચય
ભારતિય જનતા પાર્ટી :- એક પરિચય
ભારતીય સંસ્કૃતિ અને વિચારધારાના મૂળ સ્રોત :
ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં – સેવક સંઘ
ભારતીય જનતા પાર્ટી આજે સંઘ પરિવાર તરીકે ઓળખાતી સંસ્થાઓના પરિવારની એક ખુબજ મહત્વની અને આગળ પડતી છે. જેનું રાષ્ટ્રીય સ્વયં – સેવક સંઘ ( RSS ) દ્વ્રારા સર્વધન થાય છે. RSSની જેમ BJP ભારતની એકતા અને અખંડિતા સાથે સંલગ્ન છે, તેની આંતરિક ઓળખ, રાષ્ટ્રીયબળ , વ્યક્તિગત ચારીત્ર્ય અને સાંસ્કૃતિક વિશિષ્ટતા હજારો વર્ષોથી ભારતની તથા તેના લોકોની ઓળખનું પ્રતીક રહ્યું છે.
ઇતિહાસ રાષ્ટ્ર નું તત્વચિંતન હોય છે. સંઘ પરિવાર પાસે ભારતીય ઇતિહાસ નો સુસ્પષ્ટ વિચાર છે. અહીં એક મહાન સભ્યતા હતી જેની અસર અને છાપ શ્રીલંકા થી તિબેટ સુધી દક્ષિણ પૂર્વ એશિયા થી મધ્ય એશિયા અને ભારતીય સમુદ્ર ના એક છેડા થી બીજા છેડા સુધી ફેલાયેલી હતી. તેણે ગ્રીક થી માંડીને હૂણલોકો, શક અને તર્ક અને અફઘાન ના ઈસ્લામિક આક્રમણોનો સામનો કર્યો હતો. તેણે આવા બાહ્ય આક્રમણો સામે લડીને તેનો પ્રતિકાર કરેલો હતો , સભ્યતા અને સંસ્કૃતિને ભૂંસી નાખવાના પ્રયત્નો અને પડકારો સામે ઝજજુમીને વાતાની સભ્યતા અને સંસ્કૃતિ ને બચાવી હતી . વિજયનગરની યશોગાથા, મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ તથા ગુરુ ગોવિંદસિંહ ના પરાક્રમો ભારતીય શૌર્ય સનાતન સાક્ષી છે.
હમણાનાં પ્રવર્તમાન સમયમાં રાષ્ટ્રવાદ અને ભારતીય ઓળખ ની મશાલ સ્વામી દયાનંદ અને સ્વામી વિવેકાનાંદ જવલંત રાખી હતી . આ મહાન કાર્યને શ્રી અરવિંદ, લોકમાન્ય તિલક , મહાત્મા ગાંધી તથા અન્ય મહાપુરુષોએ આગળ ધપાવ્યું હતું , RSS ની સ્થાપના ડૉ.કે.બી.હેડગેવારે ૧૯૨૫ માં કરી હતી જેનું સંગઠન અને દ્રઢીકરણ શ્રી ગુરુજી એમ.એસ.ગોલવાલ્કારે કર્યું હતું, આમ RSS ભારતની મહાન પરાક્રમી પરંપરાનું વારસદાર તરીકે ઉભરી આવ્યું છે. તે સૌને ન્યાય મળે તેમાં તથા કોઈનું તૃષ્ટિકરણ નહિ કરવામાં માળે છે . ભારત –રાષ્ટ્ર અને ભારતીય સમાજ નો આધાર હિન્દુ ઓંળખ અને સંસ્કૃતિ છે તે બાબત માં તેને કોઈ જ શંકા નથી . આ ઓંળખ અને આ સંસ્કૃતિ સૌ ભારતીયને ધર્મ અને જાતિથી નિરપેક્ષ સમાન ઓંળખ આપે છે. RSS સૌ ભારતીય લોકોને ધાર્મિક ભૂમિકાથી પર રહીને, તેમની પૂજાની રીત તથા સ્થાન ને ધ્યાનમાં લીધા વિના સમાન ગણે છે.